Showing posts with label ભગવતીકુમાર શર્મા. Show all posts
Showing posts with label ભગવતીકુમાર શર્મા. Show all posts

Saturday, December 31, 2011

મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]

"સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દ્દયકાઓનો માણસ છું. મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશક - માશુકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે!આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સીત્તેર વર્ષમાં મેં એક જ વાર ઘર બદલાવ્યું છે. ઘર વિષેનું મારું આ સુદીર્ઘ સંબંધ-સાતત્ય સઘન ભાવ-સાતત્યમાં પરિણમ્યું છે તે અનનવ્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે. આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એક આખું વર્ષ અનિદ્રાથી પીડાયો છું. ઇષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ ઘરમાં રંજાડ્યો છે.અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્યપથે વળ્યો છું.અહીં જ મેં કોડીયે,ખડીયે,ફાનસે અખૂટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણાં જેવી બારીમાંથી મેં વરસાદનું વહાણ અને સૂરજનો સંતાપ ઝીલ્યાંછે. આ ઘર મને એક સાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાની પુંજ જેવું અનુભવાય છે!"
- ભગવતીકુમાર શર્મા

ઘર એટલે...ઃસંપાદનઃકાન્તિ પટેલ,પૃ. ૮૪, કિંમત - રૂ. ૨૦૦, પ્રથમ આવૃત્તિ -૨૦૧૧,
  ઘર વિષેના ગદ્યપદ્ય, પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, ૨૦૨,હર્ષ કોમ્પ્લેક્ષ,ખત્રી પોળ, પાડાપોળ સામે, ગાંધી રૉડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧


સંજોગવશાત બે દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાએ પણ  તેમના બ્લૉગ પર આ જ વિષય પર 'ઘર  વિષે' શિર્ષકથી ઘણી જ મનનીય ભાવના રજૂ કરી છે.


Saturday, November 5, 2011

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

૧૯૭૦ના દાયકામાં તેમની 'અસૂર્યલોક' વાંચી ત્યારથી શ્રી ભગવતીકુમાર શર્મા મારા પહેલી પસંદના સામ્પ્રત ગુજરાતી લેખક હતા. તેમનું પદ્ય 'નવનીત સમર્પણ'માં તેમ જ 'કવિતા' વાંચવાનું થતું રહ્યું છે, તે જ રી તે તેમની નવલિકાઓ પણ [સામાન્યતઃ] કોઇ ને કોઇ દીપોત્સવી અંકમાં વાંચાઅનું થતું રહ્યું છે, પરંતુ તે હું સંગ્રહી નથી શક્યો. તે ઉપરાંત તે પછીથી તેમની અન્ય ગદ્ય- નવલકથાઓ કે વિવેચનો સાથે પણ ખાસ સંપર્ક નથી રહ્યો તે મારાં કમનસીબ.

અટારી નથી – ભગવતીકુમાર શર્મા